Wooden Carving
કાષ્ટ કોતરણી ઊંચા કાષ્ટના ‘ગજ દ્વાર’થી જ્ઞાનયજ્ઞ મંડપમાં પ્રવેશતાં જ કલાત્મક કાષ્ટની કોતરણી ભવ્યતામાં ગરકાવ કરી દે છે. ૧૦,૦૦૦ ઘન ફૂટ સાગના લાકડાના ઉપયોગ દ્વારા ભગવાન શ્રી સ્વામીનારાયણના સમયના સંગીત મંડળના પરમહંસો, વિધવિધ દેવી-દેવતાઓ, પશુપંખીઓ તથા સામૂહિક શાસ્ત્ર અને અન્ય ચિહ્નો વગેરે કાષ્ટ કોતરણીથી સમગ્ર જ્ઞાનયજ્ઞ મંડપ દર્શનીય બને છે.
મંદિરના બાંધકામના મુખ્ય આધાર સમાન સ્વસ્તિક સ્તંભને કોતરણીથી શણગારવામાં આવ્યું છે.